યાત્રી ગણ કૃપીયા ધ્યાન દે...રેલ્વે સ્ટેશન ઉપર ગંદગી કરી તો 500 રૂપિયાનો દંડ ભરવા તૈયાર થઈ જાઓ
134 કિસ્સાઓમાં 117 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો
Updated : July 18, 2025 06:16 pm IST
Jitendrasingh rajputવડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવાવાળા 117 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો.

વડોદરા રેલવે સ્ટેશન પર સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહીના ભાગ રૂપે, છેલ્લા છ દિવસોમાં ગંદકી ફેલાવાના 134 કિસ્સાઓમાં 117 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા સ્ટેશન પરિસરને સ્વચ્છ અને hygienic બનાવી રાખવાની નિયમિત પ્રક્રિયાના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રેલવે કાયદા મુજબ, સ્ટેશન પરિસરમાં ગંદકી ફેલાવા બદલ મહત્તમ ₹ 500 સુધીનો દંડ ફટકારી શકાય છે. વડોદરા મંડળે મુસાફરોને સ્વચ્છતા જાળવવામાં સહયોગ કરે અને જાહેર સ્થળો પર ગંદકી ન કરવા અપીલ કરી છે. રેલવે વિભાગ સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા અભિયાનો ચાલુ રાખવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

