Updated : July 18, 2025 06:16 pm IST
Jitendrasingh Rajputવડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવાવાળા 117 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો.

વડોદરા રેલવે સ્ટેશન પર સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહીના ભાગ રૂપે, છેલ્લા છ દિવસોમાં ગંદકી ફેલાવાના 134 કિસ્સાઓમાં 117 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા સ્ટેશન પરિસરને સ્વચ્છ અને hygienic બનાવી રાખવાની નિયમિત પ્રક્રિયાના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રેલવે કાયદા મુજબ, સ્ટેશન પરિસરમાં ગંદકી ફેલાવા બદલ મહત્તમ ₹ 500 સુધીનો દંડ ફટકારી શકાય છે. વડોદરા મંડળે મુસાફરોને સ્વચ્છતા જાળવવામાં સહયોગ કરે અને જાહેર સ્થળો પર ગંદકી ન કરવા અપીલ કરી છે. રેલવે વિભાગ સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા અભિયાનો ચાલુ રાખવામાં આવશે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.