Updated : July 19, 2025 06:07 pm IST
Jitendrasingh Rajputમીની નદીને પ્રદુષિત કરનાર કંપનીઓ સામે GPCB ની લાલ આંખ. નંદસેરીના ત્રણ યુનિટને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે.થોડા દિવસો પૂર્વે મીની નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ. જે બાબતની જીપીસીબી દ્વારા ગંભીર નોંધ લેતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે તપાસ દરમિયાન નંદેસરી સ્થિત પાનોલી ઇન્ટરમીડીએટના 2 અને કલકી હેલ્થ કેર દ્વારા મીની નદીમાં કેમિકલ વેસ્ટ છોડવામાં આવી રહ્યું હોવાનું ખુલ્યું હતુ. જેથી જીપીસીબી દ્વારા આ ત્રણેય યુનિટના પાણી અને લાઇટ કનેક્શન કાપી નાખવાના આદેશ સાથે ક્લોઝર નોટિસ ફટકારી હોવાનું ગુજરતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશીક અધિકારી જીતેન્દ્ર મહિડાએ જણાવ્યું હતુ.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.