Updated : July 16, 2025 07:19 pm IST
Jitendrasingh Rajputનંદેસરી ઔદ્યોગિક વસાહત ની વરસાદી કાસ માં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડ્યું, આજ રોજ નંદેસરી ના સિંહાકુઈ વિસ્તાર માંથી પસાર થઈ રહેલા વરસાદી પાણી નીકળવાની ની ખુલ્લી જગ્યા ખુબજ મોટી માત્ર માં વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી મીની નદી માં જઈ રહ્યું હતું,

નંદેસરી ની ઔદ્યોગિક વસાહત ની વરસાદી કાંસો માં વરસાદ પડતાં ની સાથે કેમિકલ યુક્ત પ્રવાહી જોવા મળ્યું ,આ વરસાદી ખુલ્લી કાંસો ને વિરોધ હોવા છતાં પાઇપલાઇન નાખી ને ઢાંકી દેવામાં આવલ જેથી વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી બેરોકટોક છોડી શકાય વરસાદી ઋતુ એટલે નંદેસરી ના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી-કેળા સમાન, વડોદરા ની નંદેસરી ઔદ્યોગિક વસાહત માંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેરોકટોક કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાં ની સાથે ખુલ્લી કાંસો માં છોડી દેવામાં આવે છે આ વેસ્ટ પ્રવાહી સીધું મીની નદી માં જાય છે જેના લીધે મીની નદી પ્રદુષિત થઈ છે.

આ મીની નદી મહીસાગર નદી માં ભળે છે, જેથી મીની નદી નું વેસ્ટ કેમિકલ યુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદી માં ભળી ને મહીસાગર નદી ના પાણી ને પણ દૂષિત કરી રહ્યું છે, વારંવાર વરસાદી ઋતુ માં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને કેમિકલ યુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળતી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું, આ કેમિકલ યુક્ત પ્રવાહી ના લીધે સ્થાનિકો ના પશુઓ ને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસ ચારો પણ આ પાણી થી બળી જાય છે.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.