ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ : ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન યથાવત...
Updated : July 12, 2025 04:08 pm IST
Sushil pardeshi
સુશીલ પરદેશી, વડોદરા.
વડોદરા બ્રિજ દુર્ઘટનાના ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન વહેલી સવારથીજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યારસુધી ૨૦ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે હજી એક વ્યક્તિની શોધખોળ શરૂ છે. નરસિંહપૂરા ગામના ૨૨ વર્ષીય યુવક વિક્રમ નામના યુવાનની શોધખોળ જારી છે. આ વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બની છે તે મુજપુર પાસેથી મહી નદીના પ્રવાહની સ્થિતિ એવી છે કે તે બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ વહે છે. ત્યારે હવે ઉપરવાસ અને હેઠવાસ, એમ બંને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
પૂલનો જે ભાગ તૂટીને નદીમાં પડ્યો છે, તેને તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ૨૦ હોર્સ પાવરનું ડાયમંડ વાયર કટિંગ મંગાવવામાં આવ્યું છે. જેને નાવડીમાં નાખી પૂલ નીચે લઈ જવામાં આવ્યું હતું. આ મશીનને પાવર આપવા જનરેટર લાવવામાં આવ્યું છે. મિસિંગ વ્યક્તિ વિક્રમ સહિત અન્ય કોઈ હતભાગી આ સ્લેબ નીચે દબાયેલું છે કે કેમ? તેની ખાતરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મશીન દ્વારા કોંક્રિટ બાંધકામ તોડવામાં પણ કેટલીક મહત્વની વાત સમજી લેવી જોઈએ કે, જેટલું જૂનું બાંધકામ એટલી મહેનત વધે છે. કેમ કે કોંક્રિટ અંદર રહેલા જાડા સળિયામાં લવચકતા આવી ગઈ હોય છે. એટલે કાપવામાં વાર લાગે છે.
તો બીજી તરફ પાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પાદરા પોલીસ રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી. આ પૂર્વે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પાદરા પોલીસ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે. કોઈ અકસ્માત થયો, અને ટ્રક અંદર પડી અને પડતી વેળા સ્લેબ કે આર્ટીક્યુલેશનને નુકસાન કરતી ગઈ કે કેમ ? લોડેડ ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા સહિતની બાબતો પણ તપાસ હેઠળ છે.
ત્યારે પોલીસ તપાસને મદદરૂપ થવા માટે આજે સવારે એફએસએલની ટીમે ફોરેન્સિક વાન સાથે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આરટીઓની ટીમે પણ તપાસ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ રચાયેલી સમિતિ દ્વારા પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગેરી સંસ્થાની ટીમ દ્વારા આજે પૂલના નમુના લેવામાં આવ્યા હતા. આ સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
