Updated : July 12, 2025 04:34 pm IST
Bhagesh Pawarઆજે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે હતાં. પ્રથમ તેઓ પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત રોજગાર મેળામાં હાજર રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતમાં બ્રિજ દુર્ઘટનાના દોષિતો વિરૂદ્ધ કડક પગલાં લેવાની બાંહેધારી આપી હતી. તાજેતરમાં વડોદરાના પાદરામાં આવેલો મુજપુર ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 20 સુધી પહોંચ્યો છે. હજી પણ એક વ્યક્તિ લાપતા હોવાની આશંકાએ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.

આજે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાના મહેમાન બન્યા હતા. તેઓએ વિવિધ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તે પૈકી પ્રથમ તેઓ રેલવે દ્વારા આયોજિત રોજગાર મેળાનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ થતા તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેની બાંહેધારી આપી હતી.
સી. આર. પાટીલે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, "મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. હું પણ તેમને કહીશ, તેઓ કડક પગલાં લે, દોષિતોને છોડવા જોઇએ નહીં. કોઇ પણ જવાબદાર વ્યક્તિને ના છોડાય. તે માટેના પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ. તેવી હું ખાતરી આપું છું."
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.