કલાલી સ્મશાનમાં ખંભાતી તાળા અને પાલિકાએ બોર્ડ માર્યું આખરી સામાનની સુવિધા વિના મુલ્યે આપવામાં આવશે
સ્મશાનમાં કોન્ટ્રાક્ટનો માણસ, લાકડા, ઘાસના પુડા કે છાણાં પણ નથી
Updated : July 08, 2025 04:38 pm IST
Bhagesh pawar
કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં સમસ્યા શોધવી નથી જવી પડતી પરંતુ સમસ્યાઓ તમારી સામે દેખાઇ જાય છે. જો સામાન્ય માણસની આંખે આ સમસ્યાઓ વળગી આવતી હોય તો, મહાનગર પાલિકાના અધિકારીઓ શું વડોદરાના રસ્તા પરથી પસાર નથી થતા ? શું તેમને આ સમસ્યાઓ નથી નડતી કે, પછી દેખાયા છતાંય કામ કરવાની દાનત નથી ? વારંવાર બુદ્ધીનું પ્રદર્શન કરતા મહાનગર પાલિકાના અધિકારીઓનું વધુ એક દાવો તદ્દન જુઠ્ઠો સાબીત થયો છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુને તેમની ટીમ કેવા મુર્ખ બનાવે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ કલાલી વિસ્તારમાં રહેતા રહીશોને પાયાની સુવિધા ન આપી શકનાર અધિકારીઓ સામે ભારે રોષ છે. જાડી ચામડીના અધિકારીઓને ફરીયાદો મળ્યા છતાંય તેમની ખુરશી પરથી હલવા તૈયાર નથી. ત્યારે કલાલી ગામનું સ્મશાન પણ મહાનગર પાલિકા હસ્તક છે. હાલમાં શહેરના 31 સ્મશાનોનું ખાનગીકરણ કરી ભોપાળું વાળ્યું છે.
તેવામાં કલાલી ગામમાં આવેલા સ્મશાન પર વડોદરા મહાનગર પાલિકાએ બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે. જ્યાં આ સમયે કોઇ અંતિમક્રિયા માટે પોતાના સ્વજનનો મૃતદેહ લઇને આવે તો તેને પરત ફરવું પડે તેવી નોબત છે. કારણ કે, સ્મશાનના મુખ્ય ગેટ પર ખંભાતી તાળું લાગેલું છે. અંદર જઇએ તો સ્મશાનમાં જવા માટેના ગેટ પર બીજુ તાળું છે. આ તાળું ખોલવા માટે કોઇ સ્ટાફ તો છે જ નહીં, પરંતુ ખોટા દાવા કરતા બોર્ડ લગાવનાર મહાનગર પાલિકાના અધિકારીઓ અહીં લાકડા, ઘાસના પુડા અને છાણા જેવી વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત આ સ્મશાનમાં કોન્ટ્રાક્ટનો કોઇ માણસ પણ હાજર નથી.
સ્મશાન ગામ હસ્તકનું અને પાલિકાએ પોતાનું બોર્ડ ચઢાવ્યાનો દાવો
સ્થાનિક સૂત્રએ દાવો કરતા જણાવ્યું હતુ કે, કલાલી સ્થિત સ્મશાન ગામ હસ્તકનું છે. વડોદરા મહાનગર પાલિકાએ ખોટી રીતે બોર્ડ લગાવી પોતાનો દાવો ઠોક્યો છે. અગાઉ કોરોના સમયે પાલિકા દ્વારા અંતિમક્રિયા માટે ગામ પાસે સ્મશાન માગ્યું હતું, ત્યારે સ્મશાનની પાછળની જગ્યા પાલિકાને ફાળવવામાં આવી હતી. કલાલી સ્મશાનનું સંચાલન ગામના આગેવાનો દ્વારા કરવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગામની જાણ બહાર બોર્ડ લગાવી દીધુ છે, તે અંગે અમે અધિકારીને જાણ કરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
