આગમન યાત્રામાં શ્રીજી પર ઈંડુ ફેકનારના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા, રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું
આગમન યાત્રામાં શ્રીજી પર ઈંડુ ફેકનારના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા, રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું
Updated : August 27, 2025 05:00 pm IST
Jitendrasingh rajput
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના બનેલા બનાવ બાદ પોલીસે બે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમને માફી પણ મંગાવી હતી. આ ઘટના માંજલપુરના ગણેશ મંડળની શ્રીજીની પ્રતિમાની સ્થાપના વેળાએ બની હતી. મોડી રાત્રે અંદાજે ૨:૩૦ વાગ્યાની આસપાસ પાણીગેટ પાસેના મદાર માર્કેટ નજીક કોઈ અજાણ્યા શખ્સોએ પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાને કારણે ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને નવી પ્રતિમાની વ્યવસ્થા પણ કરી હતી. આરોપીઓની ઓળખ સુફિયાન મન્સૂરી અને શાહ નવાઝ ઉર્ફે બડબડ કુરેશી તરીકે થઈ હતી.
પોલીસે આજે આ બે આરોપીઓને તેમના જ વિસ્તારમાં, વાડીના ખાનગાહ મોહલ્લામાં, જાહેરમાં ફેરવ્યા હતા. તેમના હાથ દોરડા વડે બાંધેલા હતા. આ સરઘસ દરમિયાન બંને આરોપીઓએ પોતે કરેલા કૃત્ય બદલ હાથ જોડીને માફી માંગી હતી.
આ ઘટના બાદ ગણેશ મંડળોમાં અને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીઓને શોધી કાઢીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
મંગળવારે રાતે માત્ર 10 થી 15 લોકો કોઇ જ ઘોંઘાટ કર્યા વગર શાંતિ પૂર્વક મૂર્તિ લઇ જઇ રહ્યા હતા. તે સમયે ઇંડા ફેંકીને અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. શોભાયાત્રા પર જે બિલ્ડિંગો પરથી ઇંડા ફેંકવામાં તે બિલ્ડિંગની લાઇટો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, આ ઘટનામાં 7 થી 8 સગીર પણ સામેલ હતા. તેમજ મોટા બે થી ત્રણ હતા. લોકોની માંગ છે કે, આ રીતે મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ. જેથી, ભવિષ્યમાં કોઇ આવી હિંમત કરે નહીં.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
