બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ
કાલે ટીમોએ દોરડા વડે ટેન્કરને ચોતરફથી બાંધ્યો હવે તંત્ર હોટ એર બલુન ટેક્નોલોજીથી આ ટેન્કરને કાઢવાની તૈયારીઓ કરી રહ્યું છે
Updated : August 02, 2025 01:36 pm IST
Jitendrasingh rajput
વડોદરાના ગંભીરામાં બ્રિજનો એક ભાગ તુટી પડવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં એક ટેન્કર – ટ્રક આજે પણ બ્રિજ પર અધકચરો લટકેલો છે. જેને દુર કરવાનું મૂહુર્ત નીકળ્યું છે. ગતરોજ પોરબંદરની ટીમોએ આ ટેન્કરને દોરડા વડે ચોતરફથી બાંધી દીધો હતો. આ બ્રિજ જોખમી હોવાના કારણે ત્યાં સુધી ક્રેઇન લઇ જવું સલામત નથી. તેવામાં આ ટેન્કરને હોટ એર બલુન મારફતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રોફેસર નિકુલ પટેલે મીડિયા સમક્ષ વાત કરી હતી. જો કે, આ વાતને લઇને હજીસુધી કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રોફેસર નિકુલ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સામાન્ય રીતે આપણે હોટ એર બલુન ફિલ્મોમાં જોયા છે. આ હોટ એર બલુનથી ગંભીરા બ્રિજ પરના અટકેલા ટ્રકને બહાર કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેવું મારૂ માનવું છે. આમાં પ્રોપેન ગેસ ભરવામાં આવે છે. આ બ્રિજ પર હેવી ક્રેઇન લઇ જવાય તો અકસ્માત થઇ શકે છે. હોટ એર બલુનને નદી સુધી લઇ જઇ, ત્યાર બાદ તેમાં ગેસ ભરવામાં આવશે, પછી તેને ટેન્કરની સમકક્ષ લઇ જવામાં આવશે, જ્યાં તેને સ્થિર કરવામાં આવશે, ટ્રકને બે જગ્યાએથી બલુન સાથે સાંકળવામાં આવશે, પ્રથમ ટ્રકનો આગળનો ભાગ ઉંચકી અને ત્યાર બાદ પાછળના ભાગથી ઉંચકીને તેને સ્થિર સ્થિતીમાં લાવવામાં આવશે. અહિંયા એન્જિનિયરીંગને આર્કેમીડીઝ અને બાયો એન્ફોર્સ પ્રિન્સિપાલનો ઉપયોગ થશે, જે રીતે સબમરીન પાણી પર પણ તરે છે, અને પાણીની અંદર પણ જાય છે.
તે ટેક્નોલોજીથી ટ્રકને ઉતારવામાં આવશે. તેનાથી ટ્રકમાં રાખેલા પદાર્થને કોઇ પણ નુકશાન નહીં થાય. આ ટ્રકનું આશરો વજન 1500 કિલો જેટલું હશે. એક બલુન આશરે 750 કિલો જેટલું વજર ખમી શકે છે. આ ટેન્કરના રેસ્ક્યૂ માટે બે બલુનનો ઉપયોગ કરવામાં આવનાર છે, જો તેને સારી રીતે ઓપરેટ કરવામાં આવશે, તો આ ટેન્કરને લિફ્ટ કરી શકાશે. આ એક સંતુલિત પ્રયાસ હશે, આ બલુનનો કોઇ પણ જગ્યાએ ઉપયોગ કરી શકાશે. બલુનને નદીના પટમાં એસેમ્બલ કરવામાં આવશે, આ બલુન થકી ટેન્કરને ઉંચકીને તેને પટમાં મુકવું હિતાવહ રહેશે. આ પ્રક્રિયામાં 4 કલાક જેટલો સમય લાગી શકે છે, યોગ્ય કો-ઓર્ડિનેશન સાથે કામ કરવામાં આવે તો સલામતી પૂર્વક ટેન્કરને બહાર કાઢી શકાશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
