મુજપુર-ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કરનો આગામી 48 કલાકમાં નિકાલ થશે, જાણો આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીએ શું કહ્યું
વીમા કંપનીને પણ પૂરે પૂરો વીમો પકાવી આપવા આદેશ કરાયો.
Updated : July 21, 2025 05:51 pm IST
Jitendrasingh rajput
વડોદરા નજીક આવેલા પાદરા તાલુકાનો મુજપુર – ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 12 દિવસ થઇ ચુંક્યાં છે. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 નિર્દોષોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે હજી પણ વિક્રમ પઢીયારનો કોઇ પત્તો નથી, જોકે તેના પરિવારે પુતળુ બનાવી વિક્રમની અંતિમક્રિયા કરી નાખી પરંતુ હજી પણ પરિવાર તેનો મૃતદેહ મળશે તેવી આશ લગાવી બેઠો છે. ત્યારે આ બ્રિજ પર લટકી રહેલા ટેન્કરનું શું થશે તેવો સવાલ હજી લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
અંકલેશ્વરની શિવમ રોડલાઇન્સનું ટેન્કર છેલ્લા 12 દિવસથી ગંભીરા બ્રિજ પર લટકી રહ્યો છે. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક રવિન્દ્ર કુમારનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે ટેન્કરના માલિક આ દુર્ઘટના બાદ પાદરા, વડોદરા અને આણંદની સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કારણ કે, ટેન્કર પર 30 લાખની લોન છે અને મહિને રૂ. 82 હજારનો હપ્તો છે. હવે ટેન્કરના પયળા થંભી ગયા છતાં ગઇકાલે ટેન્કરનો હપ્તો કપાયો છે.
ત્યારે આ મામલે યુગ અભિયાન ટાઇમ્સ સાથે આણંદ કલેકટર પ્રવિણ ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, આજે ટેન્કરના માલિક અને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીને બોલાવ્યાં હતા. ટેન્કર માલિકની વ્યથા સાંભળી સાથે ઇન્સ્યોરન્સ કંપનીને કહેવામાં આવ્યું છે કે, આ ટેન્કર સ્ક્રેપ થાય તો તેના માલિકને ઇન્સ્યોરન્સની પુરે પુરી રકમ મળી રહે તેવા પ્રયાસો કરાશે, એની માટે કલેકટર તરીકે મારે જે જરૂરી કાર્યવાહી કરવાની હોય તે કરી આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બ્રિજ પર લટકી રહેલી ટેન્કરનો નિકાલ કંઇ રીતે કરવો તે માટે વડોદરા R & B વિભાગની મિકેનિલ, ટેકનિકલ અને એક્સપર્ટની ટીમો આજે સ્થળ પર પહોંચી છે. આ આખો મામલો ટેકનિકલ હોવાથી તેનું નિરાકણ ટેકનિકલી જ લાવી શકાશે, ટેન્કર કાઢવા માટે હાઇ સ્પીડ રેલવે, આર્મી અને એલ.એન્ડ.ટી પાસેથી પણ ઓપીનિયન લીધા હતા. જેમાં હાલના સમયે બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવા માટે કોઇ પણ વજનદાર ક્રેઇનનો ઉપયોગ કરવો જોખમી સાબીત થઇ શકે છે. જેથી આર એન્ડ બી વિભાગની મિકેનિકલ, ટેકનિકલ અને એક્સપર્ટ ટીમ આગામી એક બે દિવસમાં કોઇ ચોક્કસ નિર્ણય કરશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
