CM ભુપેન્દ્ર પટેલ સાહેબ ગંભીરા બ્રિજ પર હદની લડાઇમાં આ ટેન્કર હજી લટકી રહીં છે
Updated : July 20, 2025 04:05 pm IST
Jitendrasingh rajput
મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 11 દિવસ થયા છે. છતાંય લાપતા યુવકનો મૃતદેહ મળ્યો નથી, આ સાથે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર વડોદરા અને આણંદની હદની લડાઇમાં હજી લટકી રહીં છે. ત્યારે આ ટેન્કરના માલિકે પોતાની રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચે એ માટે મીડિયા માધ્યમોને પોતાની આપવિતી જણાવી હતી.
પરંતુ હજી સુધી આ મામલે કોઇ સંતોષકારક પગલા લેવામાં આવ્યાં નથી, ત્યારે યુગ અભિયાન ટાઇમ્સ રાજ્યના મુખ્યમંત્રીને આ સમાચાર માધ્યમથી કહેવા માંગે છે કે, સાહેબ હવે તમારે જ એક્શન મોડમાં આવવું પડશે, તો જ આ તંત્ર કામગીરી કરશે. ગત તા. 9 જુલાઇની સવારે સાડા સાતથી પોણા આંઠ વાગ્યાની અચાનક મુજપુર-ગંભીરા બ્રિજ તુટી પડતા 21 નિર્દોષો મોતને ભેટ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમ પઢીયારનો મૃતદેહ હજી સુધી તંત્ર શોધી શક્યું નથી. ત્યારે બીજી બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સમગ્ર દુર્ઘટનામાં ચર્ચાનો વિષય બનયો હતો. અનેક લોકોના મનમાં સવાલો હતા કે, આ ટેન્કરનો ડ્રાઇવર જીવીત છે કે કેમ ? ટેન્કરનો માલિક કોણ છે ? તો આવા તમામ સવાલોના જવાબ બે દિવસ અગાઉ યુગ અભિયાન ટાઇમ્સે આપ્યાં હતા.
યુગ અભિયાન ટાઇમ્સ દ્વારા ટેન્કરના ચાલક રવિન્દ્ર કુમાર અને ટેન્કર માલિક રામાશંકરની વાત સરકાર સુધી પહોંચડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘોર નિંદ્રમાં રહેલા અધિકારીઓની હજી સુધી ઊંઘ ઉડી નથી અને વડોદરા-આણંદની હદની લડાઇમાં ટેન્કર હજી એજ સ્થિતિમાં લટકી રહીં છે. ત્યારે યુગ અભિયાન ટાઇમ્સ રાજ્યના મૃદુ અને મક્કમ પ્રજાની પડખે ઉભા રહેનાર એવા રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગે છે કે, સી.એમ ભુપેન્દ્ર પટેલ સાહેબ હવે તમારે જ એક્શન મોડમા આવવું પડશે, તો જ આ તંત્રની ઊંઘ ઉડશે અને શિવમ રોડ લાઇન્સને ટેન્કર પરત મળશે. આશા રાખીયે છે કે, રાજ્યના મુખ્યમંત્રી આ સમાચાર વાંચ્યા બાદ વડોદરા અથવા આણંદ કલેકટર કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
