ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ કરતા ગ્રામજનો.નહીંતો આંદોલનની ચીમકી આપી.
મહાકુંભમાં કેપ્સ્યુલ બ્રિજો બનાવ્યા એવી રીતે મહીસાગરમાં પણ હંગામી બ્રિજ બનાવો.
Updated : August 11, 2025 03:07 pm IST
Jitendrasingh rajput
વડોદરા નજીક ગંભીરા બ્રિજની બનેલી દુર્ઘટના બાદ વડોદરા અને આણંદના છેવાડાના ગામોનો સંપર્ક તૂટી જતા અને તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે તેવી ત્રણ વર્ષ પહેલાં રજૂઆત અને દેખાવ કરનાર મુજપુરના જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર અને ગ્રામજનો આજે જિલ્લા કલેકટર ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા.
ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 22 જણાનો ભોગ લેનાર ગંભીરા બ્રિજની દુર્ઘટના માટે તંત્ર સીધેસીધું જવાબદાર છે. સરકાર માત્ર સંવેદનશીલતાની વાત કરે છે. પરંતુ બ્રિજ તૂટ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા હજારો યુવાન નોકરી માટે આવી શકતા નથી. ખેડૂતો શાકભાજી લાવી અને લઈ જઈ શકતા નથી. જ્યારે બીજા નાના મોટા ધંધા વળા વેપારીઓ પણ ધંધો કરવા આવી શકતા નથી. જેને કારણે હજારો પરિવારોને આર્થિક અસર થઈ રહી છે.
ગ્રામજનોએ કહ્યું હતું કે, જેવી રીતે મહાકુંભમાં કેપ્ચ્યુલ બ્રિજો બનાવ્યા હતા એવી રીતે મહીસાગરમાં પણ હંગામી બ્રિજ બનાવવા તેમજ વૈકલ્પિક માર્ગ ઉભો કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. અમે ગંભીરા બ્રિજની દુર્ઘટના તંત્રને ભુલવા દેશું નહીં. ટૂંક જ સમયમાં બ્રિજની બંને બાજુના ગ્રામજનો દ્વારા મોટેપાયે આંદોલન કરવામાં આવશે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
