પ્રોફેસર બી.એમ.ભનાગે એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર
યુનિવર્સિટીના અઢારમાં વાઈસ ચાન્સેલર તરીકે પ્રોફેસર બી.એમ.ભનાગેની નિમણૂક
Updated : August 21, 2025 04:13 pm IST
Jitendrasingh rajput
એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. યુનિવર્સિટીના અઢારમાં વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર બી.એમ.ભનાગેની પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.
સરકારે કરેલી જાહેરાત અનુસાર પ્રો.ભનાગે જે દિવસથી ચાર્જ લેશે તે દિવસથી તેમની પાંચ વર્ષની મુદત શરૂ થશે. સરકારે આજે બપોરે આ નામની જાહેરાત થતા શૈક્ષણિક વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. સૂત્રોનું કહેવું છે કે, પ્રો.ભનાગેનું નામ ચર્ચામાં નહોતું.
પ્રો.ભનાગેએ 1996માં યુનિવર્સિટી ઓફ પૂણેમાંથી પીએચડી કર્યું છે અને 2003થી ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમના બાયોડેટા પ્રમાણે હોમોજિનિયસ કેટાલિસ્ટ, રિએક્શન કાઈનેટિક્સ એન્ડ મિકેનિઝમ તેમના સંશોધનનો મુખ્ય વિષય છે. તેમણે ઓથર અને કો-ઓથર તરીકે 35 જેટલા રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા છે. કેમેસ્ટ્રી વિષયમાં તેમની પાસે 19 જેટલી પેટન્ટ છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તેઓ ક્યારે ચાર્જ લેશે તે હજી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, ડો.શ્રીવાસ્તવે પ્રોફેસર તરીકેના અનુભવના મુદ્દે રાજીનામું આપ્યા બાદ સાત મહિનાથી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની પોસ્ટ ખાલી હતી. નિમણૂકમાં વિલંબને લઈને સરકારની ટીકા પણ થઈ રહી હતી. જોકે આજે સરકારે અણધાર્યા નામની જાહેરાત કરીને અટકળો પર વિરામ મૂકી દીધો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
