વિદેશ રાખડી મોકલાવવા પોસ્ટ ઓફિસમા ખાસ વ્યવસ્થા...
રાખડી અને મીઠાઈના બોક્સ અને પેકીંગની સુવિધા પણ કરાઈ...
Updated : July 30, 2025 04:04 pm IST
Sushil pardeshi
આગામી 9 ઑગષ્ટના રોજ રક્ષાબંધન નો ત્યોહાર છે. ત્યારે ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકના પર્વ રક્ષાબંધનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વિદેશમાં રહેતા ભાઈને પોસ્ટથી સમયસર રાખડી મળી જાય તે માટે પોસ્ટ ઓફિસમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે. જે માટે પોસ્ટ વિભાગ દ્વારા રાજ્યની તમામ પોસ્ટ ઓફિસે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે.
ત્યારે વડોદરા પોસ્ટ ઓફિસમાં પણ આ વ્યવસ્થા ગોઠવાઈ છે. જે અંગે માહિતી આપતા વડોદરા રાવપુરા GPO ના સિનિયર પોસ્ટ માસ્ટર એસ.કે ઓઝા એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોસ્ટ મારફતે ઇન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ (ITPS ) હેઠળ 46 દેશોમાં રાખડી અને મીઠાઈ મોકલવા માટે રાવપુરા GPO માં ખાસ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વિદેશ રાખડી અને મીઠાઈ મોકલવા માટે અલાયદું કાઉન્ટર ઉભું કરાયુ છે. જે કાઉન્ટર પર રાખડી અને મીઠાઈના બોક્સ અને પેકીંગની સુવિધા પણ કરવામાં આવી છે. વિવિધ દેશોમાં પાર્સલ મોકલાવવા માટે રૂ.218 થી રૂ. 472 સુધીના ભાવ નક્કી કરાયા છે.
આવામાં રાવપુરા GPO ખાતેથી જ 21 જૂન થી શરુ કરાયેલ આ વ્યવસ્થામાં અત્યાર સુધી આશરે 3000 થી વધુ પેકેટ મોકલાઈ દેવાયા છે. જયારે જેમ જેમ રક્ષાબંધન નજીક આવી રહી છે તેમ તેમ રાવપુરા GPO સહિતની શહેરની પોસ્ટ ઓફિસો પર ધસારો વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોની સગવડતા ને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા ગોઠવવાની કાર્યવાહી કરાઈ રહી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
