ડીજીપી તરીકે વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું..
અનેક અટકળો બાદ વિકાસ સહાયને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવાયો
Updated : June 30, 2025 09:31 pm IST
Bhagesh Pawar
ગુજરાત રાજ્યનાં ડીજીપી તરીકે હજુ છ મહિના સુધી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આજે તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. તેઓના વિદાય સમારંભની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી તેવામાં સરકાર દ્વારા તેઓને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના હતા તેઓને ડીજીપી તરીકે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. ગૃહ વિભાગમાં આઈપીએસ માં સૌથી ઊંચો હોદ્દો હોય છે ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) નો એટલે રાજ્યના પોલીસ વડા. આજે 30 જૂન 2025 ના રોજ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા, ત્યારે નવા ડીજીપી કોણ બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. સરકારે પણ પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી હતી. સામાન્ય રીતે સિનિયર અધિકારીઓ પણ ડીજીપી બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા.
વિકાસ સહાયની સિન્યોરીટી અનુસાર ડૉ. કે એલ એન રાવ અને તેમના બાદ સરકારની નજીક ગણાતા જીએસ મલિક (અમદાવાદ શહેર પોલીસ કમિશનર) ને ડીજીપી બનાવી શકાય એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. આ બે અધિકારીઓ માટે વધારે અટકળો ચાલી રહી હતી. પણ બીજા અધિકારીઓના નામ પણ ચર્ચા રહ્યા હતા. આ દરમિયાન વર્તમાન ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું
છે.
Tags:

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
