ડીજીપી તરીકે વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું..
અનેક અટકળો બાદ વિકાસ સહાયને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવાયો
Updated : June 30, 2025 09:31 pm IST
Bhagesh Pawar
ગુજરાત રાજ્યનાં ડીજીપી તરીકે હજુ છ મહિના સુધી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આજે તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. તેઓના વિદાય સમારંભની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી તેવામાં સરકાર દ્વારા તેઓને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થવાના હતા તેઓને ડીજીપી તરીકે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. ગૃહ વિભાગમાં આઈપીએસ માં સૌથી ઊંચો હોદ્દો હોય છે ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) નો એટલે રાજ્યના પોલીસ વડા. આજે 30 જૂન 2025 ના રોજ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા, ત્યારે નવા ડીજીપી કોણ બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. સરકારે પણ પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી હતી. સામાન્ય રીતે સિનિયર અધિકારીઓ પણ ડીજીપી બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા.
વિકાસ સહાયની સિન્યોરીટી અનુસાર ડૉ. કે એલ એન રાવ અને તેમના બાદ સરકારની નજીક ગણાતા જીએસ મલિક (અમદાવાદ શહેર પોલીસ કમિશનર) ને ડીજીપી બનાવી શકાય એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. આ બે અધિકારીઓ માટે વધારે અટકળો ચાલી રહી હતી. પણ બીજા અધિકારીઓના નામ પણ ચર્ચા રહ્યા હતા. આ દરમિયાન વર્તમાન ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું
છે.
Tags:

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
