રાજપીપળામાં ભૂગર્ભ ગટરની એજન્સી બદલાતા બાકી રહેલા કનેક્શન માટે ખર્ચના રૂપિયા માંગતા નારાજગી
શરૂઆતમાં ભૂગર્ભ કનેક્શન મફત આપવાની પાલિકાએ જાહેરાત કરી હતી અને જે કનેક્શન થયા તે મફત કર્યા પરંતુ બાકી રહી ગયેલા પાસે હવે રૂપિયા માગવામાં આવતા રોષ
Updated : June 20, 2025 03:18 pm IST
Bhagesh Pawar
ભરત શાહ, નર્મદા
રાજપીપળા ખાતે ભૂગર્ભ ગટર લાઇન બાબતે રહી ગયેલા બાકી કનેક્શન માટે રૂપિયાની માંગણી કરાતા લોકો માં નારાજગી જોવા મળે છે . મળતી વિગતો અનુસાર રાજપીપળા માં શરૂઆત માં જ્યારે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની શરૂઆત થઈ ત્યારે પાલિકા દ્વારા દરેક ઘર વાળા ને મફત કનેક્શન આપવાની જાહેરાત કરાઈ હતી અને અત્યારસુધી કનેકશન મફત આપ્યા પણ ખરા પરંતુ હજુ કેટલાક વિસ્તારો માં અમુક ઘર ના કનેક્શન બાકી રહી ગયા છે અને શરૂઆત ની એજન્સી બદલાઈ ગઈ હોય હવે બાકી કનેક્શન નાંખવા માટે રૂપિયા 3000 કે કોઈના દૂર કનેક્શન હોય તો વધુ રૂપિયા ની માંગણી થતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એજન્સી બદલાઈ તેમાં રહી ગયેલા બાકી કનેક્શન વાળા નો શું વાંક..? શરૂઆત માં મોટાભાગના કનેક્શન મફત માં આપ્યા તો જે ઘરો બાકી છે તેમાં કનેક્શન નહીં આપ્યા હોય અને હવે એજન્સી બદલાઈ જતા રૂપિયા ની માંગણી કરાઈ તો આ વાત કેટલા અંશે વ્યાજબી કહેવાય. રાજપીપળા નગરપાલીકા ના હોદ્દેદારો અને જે તે વોર્ડ ના સભ્યો આ બાબતે યોગ્ય પગલા લઈ હાલ ની એજન્સી ને મફત કનેક્શન આપવા જણાવે તેવી માંગ છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
