દીકરીએ તેની મરજીથી કરેલા પ્રેમ લગ્ન બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું : 8 વિરુદ્ધ ગુનો દાખલ
જમાઈએ સસરાને લાકડી મારી ઇજા કરી જ્યારે સસરાએ પણ લાકડી મારી જમાઈને ઇજા કરતા સામ સામી ફરિયાદ
Updated : June 19, 2025 07:14 pm IST
Bhagesh Pawar
ભરત શાહ, નર્મદા : તા. ૧૯
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામમાં દીકરીએ પ્રેમ લગ્ન કરતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા સામ સામી ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ ફરિયાદ દીલીપભાઈ કાળાભાઇ તડવી, રહે પટેલ ફળીયુ કોઠી (કેવડીયા) ગામ. તા. ગરુડેશ્વર નાઓ એ આપી હોય જેમાં જણાવ્યા મુજબ તેમની દીકરી શિવાનીબેન એ હરેશભાઇ ઉર્ફે જિગ્નેશ નરહરીભાઇ તડવી સાથે પ્રેમલગ્ન કરી લિધેલ હોય જેથી દિલીપભાઈ એ તેમની દીકરીને જણાવેલ કે તે કેમ તારી મરજી થી લગ્ન કરી લિધા છે તેવુ કહેતા હરેશભાઇ એકદમ ઉશકેરાઇ જઇ ગાળો બોલી તેના હાથમાની લાકડી માથામાં પાછળના ભાગે ડાબી બાજુ મારી દઇ ઇજા કરી ફરી. નીચે પડી જતા વિમલભાઇ નરહરિભાઇ તડવી એ દિલીપભાઈ ને લાકડી મારી જમણા હાથે ફ્રેકચર કરી તથા મંજુલાબેન નરહરિભાઇ તડવી એ ગડદાપાટુનો માર મારી તથા તેજલબેન વિમલભાઇ તડવીએ ગાળો બોલી ત્યારબાદ અશ્વિન ભાઇ નમાભાઇ તડવી તથા કપીલાબેન અશ્વિનભાઇ તડવી નાઓ દિલીપભાઈ ને વધુ માર માથી છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારી જતા જતા કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે અને હવે પછી મળીશ તો જાન થી મારી નાખીશુ તેવી ધમકી આપી એક બીજાની મદદગારી કરી હતી.
જ્યારે બીજી ફરિયાદ હરેશભાઇ ઉર્ફે જિજ્ઞેશભાઈ નરહરિભાઈ તડવી, રહે. પટેલ ફળીયુકોઠી (કેવડીયા) ગામ. તા. ગરુડેશ્વર ના જણાવ્યા મુજબ દીલીપભાઈ કાળાભાઇ તડવીની દીકરીએ હરેશભાઈ સાથે પ્રેમલગ્ન કરી લિધેલ હોય જેથી તેમની દીકરીને જણાવેલ કે તેં કેમ તારી મરજી થી લગ્ન કરી લિધા છે તેવુ જણાવી અને દિલીપભાઈ તથા તેમના ઘર ના સભ્યો ને ગમે ગાળો બોલી લાકડી માથામાં ભાગે મારી ઇજા કરી તથા વિમલ ભાઇ ને લાકડી મારી ઇજા કરી ઝવેરભાઈ કાળાભાઇ તડવી તથા ભાનુભાઇ ઝવેરભાઇ તડવી અને કપિલાબેન અશ્વીનભાઇ તડવીતમામ રહે.પટેલ ફળીયુ કોઠી (કેવડીયા)ગામ. તા.ગરુડેશ્વર એ એ ગાળો બોલી શીવાનીબેન એ વાળ પકડી ગેબી માર મારી એકબીજા મદદગારી કરતા એકતાનગર બંને ની ફરિયાદ લઈ કુલ આઠ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
