ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ વડોદરા–કઠાણા મેમૂ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ
વડોદરા–કઠાણા મેમુ ટ્રેન ફરી શરુ થાય તો હજારો લોકોને મળશે રાહત..
Updated : August 02, 2025 05:31 pm IST
Sushil pardeshi
પાદરા અને બોરસદ ને જોડતા ગંભીરા નદી પર આવેલા બ્રિજ ગત 9મી જુલાઈના રોજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સર્જાતા માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવો પડ્યો હતો. જેના કારણે પાદરા અને બોરસદ વચ્ચે રોજિંદા આવનજાવન કરતા કારખાનાઓના કામદારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ગંભીર મુશ્કેલી ઉભી થઈ છે. બ્રીજની આસપાસ આવેલ કંપનીઓમાં સંખ્યાબંધ કામદારો આ બ્રીજ પર થી આવન જાવન કરતા હતા. પરંતુ આ હોનારત બાદ વાહનવ્યહાર ખોરવાયો છે. હવે આ લોકોને રોજ આશરે ચાલીસ કિલોમીટરથી વધુ રસ્તો કાપી ફરીને આવવુંજવું પડી રહ્યું છે. જેને લઈને સમય અને પૈસા બંનેનો વધુ ખર્ચાઈ રહ્યા હોય લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ વ્યાપ્યો છે.
આ મામલાને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકેના અધ્યક્ષતામાં યોજાયેલી રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકમાં વડોદરા–કઠાણા વચ્ચે ચાલતી મેમૂ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ વડોદરા–કઠાણા મેમૂ ટ્રેન કોરોના મહામારી પૂર્વે નિયમિત રીતે કાર્યરત હતી. પરંતુ કોઈ કારણોસર કોરોના કાળ બાદ બંધ કરી દેવાઈ છે. જે હવે ગંભીરા બ્રીજ તૂટી જતા વડોદરા–કઠાણા મેમુ ટ્રેન ચાલુ કરવા લોકમાંગ ઉઠવા પામી છે.
જો આ વડોદરા–કઠાણા મેમુ ટ્રેન ફરી શરુ થાય તો પાદરાના ઉદ્યોગો અને સ્કૂલો-કોલેજોમાં જતા હજારો લોકો માટે સરળ અને પરવળે તેવું પરિવહન ઉપલબ્ધ થશે. ત્યારે રેલવે સમિતિએ આ માંગને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન પણ આપ્યું છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
