વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત.
Updated : August 09, 2025 02:30 pm IST
Sushil pardeshi
પાવીજેતપુર તાલુકાના વાંકી ગામ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સરકારી એસ.ટી. બસો સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસની પાછળ આવી રહેલી એક ઈકો ગાડીને પણ નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસને મોટું નુકસાન થયું હતું. બસની પાછળ ચાલી રહેલી ઈકો કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજે સવારે લગભગ ૭:૩૦ વાગ્યાની આસપાસ, છોટાઉદેપુરથી રાધનપુર જઈ રહેલી અને પાલનપુરથી છોટાઉદેપુર આવી રહેલી બે બસો વાંકી ગામના ત્રણ રસ્તા પાસે સામસામે અથડાઈ. આ વિસ્તારમાં સિહોદ ગામનો બ્રિજ તૂટી જવાથી વાહનવ્યવહાર આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધારે રહે છે. અકસ્માત બાદ બંને બસો રસ્તા વચ્ચે ઊભી રહી જતાં લગભગ ૨ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વૈકલ્પિક માર્ગો પર સલામતીના પ્રશ્નો ઊભા કર્યા છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
