Updated : July 08, 2025 05:20 pm IST
Bhagesh Pawarવિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચ રેલ્વે સ્ટેશન તરફ જતા આશ્રય રોડ પર પાછલા એક મહિનાથી કચરાના ઢગલા વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં નહીં આવતા ગંદકીના સામ્રાજયથી દસ થી વધુ સોસાયટીના રહિશો અને રોડ પર થી અવર જવર કરતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પુકારી તંત્ર દ્વારા સડી ગયેલા દુર્ગંધ યુક્ત કચરાના ઢગલાને વહેલી તકે હટાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
આશ્રય રોડ પર કચરાના ઢગલા પર વરસાદ પડતાં કચરો દુર્ગંધ યુક્ત બનતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રહિશોમાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. તો બીજી બાજુ કોહવાઈ ગયેલો જીવડાં સહિતનો કચરો રખડતા ઢોરો આરોગી રહ્યા છે.જેથી પશુઓ પણ ગંભીર પ્રકારની માંદગીમાં સંપડાઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે. આશ્રય રોડ પર આવેલ આશ્રય શોપિંગ સેન્ટરના દુકાનદારો અને લારી ગલ્લા ચલાવનારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી ફેલાવી રહ્યા હોવાથી તેમના ઉપર પર દંડનિય કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી રહી છે.
સરકાર દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવે છે. એટલું જ નહીં સફાઈ અભિયાન પાસે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે ત્યારે શહેરના આશ્રય રોડ પર કચરાના ઢગલા થી વાતાવરણ દુર્ગંધ યુક્ત બન્યું છે.રોડ પર થી પસાર થતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
કચરાના ઢગલા નહીં ઉઠાવાતા તંત્ર સામે રહિશો લાલ આંખ કરી રહ્યા છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ