ભરૂચ આશ્રય રોડ પર સફાઈ અભિયાનના ધજાગરા : કચરાના સામ્રાજય થી રોગચાળાની દહેશત
સડી ગયેલા કચરાના ઢગલા થી દુર્ગંધ યુક્ત વાતાવરણ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું
Updated : July 08, 2025 05:20 pm IST
Bhagesh pawar
વિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચ રેલ્વે સ્ટેશન તરફ જતા આશ્રય રોડ પર પાછલા એક મહિનાથી કચરાના ઢગલા વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં નહીં આવતા ગંદકીના સામ્રાજયથી દસ થી વધુ સોસાયટીના રહિશો અને રોડ પર થી અવર જવર કરતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પુકારી તંત્ર દ્વારા સડી ગયેલા દુર્ગંધ યુક્ત કચરાના ઢગલાને વહેલી તકે હટાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
આશ્રય રોડ પર કચરાના ઢગલા પર વરસાદ પડતાં કચરો દુર્ગંધ યુક્ત બનતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રહિશોમાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. તો બીજી બાજુ કોહવાઈ ગયેલો જીવડાં સહિતનો કચરો રખડતા ઢોરો આરોગી રહ્યા છે.જેથી પશુઓ પણ ગંભીર પ્રકારની માંદગીમાં સંપડાઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે. આશ્રય રોડ પર આવેલ આશ્રય શોપિંગ સેન્ટરના દુકાનદારો અને લારી ગલ્લા ચલાવનારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી ફેલાવી રહ્યા હોવાથી તેમના ઉપર પર દંડનિય કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી રહી છે.
સરકાર દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવે છે. એટલું જ નહીં સફાઈ અભિયાન પાસે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે ત્યારે શહેરના આશ્રય રોડ પર કચરાના ઢગલા થી વાતાવરણ દુર્ગંધ યુક્ત બન્યું છે.રોડ પર થી પસાર થતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
કચરાના ઢગલા નહીં ઉઠાવાતા તંત્ર સામે રહિશો લાલ આંખ કરી રહ્યા છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

મેહાલી સ્કૂલ, અટાલીમાં સ્વાતંત્ર્ય દિવસ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉજવાયો

પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
