ભરૂચ આશ્રય રોડ પર સફાઈ અભિયાનના ધજાગરા : કચરાના સામ્રાજય થી રોગચાળાની દહેશત
સડી ગયેલા કચરાના ઢગલા થી દુર્ગંધ યુક્ત વાતાવરણ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું
Updated : July 08, 2025 05:20 pm IST
Bhagesh pawar
વિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચ રેલ્વે સ્ટેશન તરફ જતા આશ્રય રોડ પર પાછલા એક મહિનાથી કચરાના ઢગલા વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં નહીં આવતા ગંદકીના સામ્રાજયથી દસ થી વધુ સોસાયટીના રહિશો અને રોડ પર થી અવર જવર કરતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પુકારી તંત્ર દ્વારા સડી ગયેલા દુર્ગંધ યુક્ત કચરાના ઢગલાને વહેલી તકે હટાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
આશ્રય રોડ પર કચરાના ઢગલા પર વરસાદ પડતાં કચરો દુર્ગંધ યુક્ત બનતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રહિશોમાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. તો બીજી બાજુ કોહવાઈ ગયેલો જીવડાં સહિતનો કચરો રખડતા ઢોરો આરોગી રહ્યા છે.જેથી પશુઓ પણ ગંભીર પ્રકારની માંદગીમાં સંપડાઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે. આશ્રય રોડ પર આવેલ આશ્રય શોપિંગ સેન્ટરના દુકાનદારો અને લારી ગલ્લા ચલાવનારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી ફેલાવી રહ્યા હોવાથી તેમના ઉપર પર દંડનિય કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી રહી છે.
સરકાર દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવે છે. એટલું જ નહીં સફાઈ અભિયાન પાસે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે ત્યારે શહેરના આશ્રય રોડ પર કચરાના ઢગલા થી વાતાવરણ દુર્ગંધ યુક્ત બન્યું છે.રોડ પર થી પસાર થતા લોકો દુર્ગંધ થી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
કચરાના ઢગલા નહીં ઉઠાવાતા તંત્ર સામે રહિશો લાલ આંખ કરી રહ્યા છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો : સપાટી 135.35 મીટર પર પહોંચી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
