Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચની યુવતી ચૈતાલીબેન રાણા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરી રહી છે.

    ભરૂચની યુવતી ચૈતાલીબેન રાણા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરી રહી છે.

    Updated : August 24, 2025 06:09 pm IST

    Jitendrasingh rajput
    ભરૂચની યુવતી ચૈતાલીબેન રાણા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરી રહી છે.

    ભરૂચની યુવતી ચૈતાલીબેન રાણા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરી રહી છે. ધર્મપ્રેમ સાથે પર્યાવરણ પ્રેમનું સંતુલન જાળવી, ચૈતાલીબેન દર વર્ષે સાઢું માટીમાંથી ગણેશજી અને શિવલિંગની મૂર્તિ ઘરે જાતે જ બનાવે છે તે પણ કોઈ મોલ્ડ કે બીબાનો ઉપયોગ કર્યા વિના.

    કોરોના સમયથી શરૂ થયેલી આ પહેલ આજે અનેક લોકોને પ્રેરણા આપી રહી છે. સાઢું માટીમાંથી બનાવેલી 8 ઇંચની મૂર્તિનું વજન લગભગ 3 કિલો સુધીનું હોય છે. મૂર્તિઓને ઘોતી, ખેસ અને પાઘડી માટે તેઓ ફક્ત પર્યાવરણ ફ્રેન્ડલી વોટર બેઝ્ડ કલરનો જ ઉપયોગ કરે છે. ચૈતાલીબેનનું માનવું છે કે નર્મદા નદીમાં દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વિસર્જન થવાથી પાણી પ્રદૂષિત થાય છે.

    આ કારણસર તેઓ જાતે જ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે અને અન્ય લોકોને પણ એ જ માર્ગ અપનાવવાનો સંદેશ આપે છે. ચૈતાલીબેન કહે છે, પ્રથમ વખત પરિવારે મૂર્તિ ઘરે બનાવવાનું કહ્યું ત્યારે અનુભવ નહોતો. સાઢું માટી ભીની કરી સુકવીને મૂર્તિ બનાવી, ત્યારથી દર વર્ષે ઘર માટે જાતે મૂર્તિ બનાવું છું.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.