ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની ACB કરશે તપાસ...
નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ
Updated : July 25, 2025 11:30 am IST
Sushil pardeshi
ગત 9 જુલાઈ ના રોજ પાદરા ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી જેમાં સંખ્યાબંધ વાહનો મહીસાગર નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં આજ દિન સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક યુવકનો હજુ પત્તો મળી રહ્યો નથી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એન એમ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહ ને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા હતા. આ સસ્પેન્ડેડ અધિકારીઓ કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહની એસીબી તપાસ કરશે. સસ્પેન્ડેડ અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે એસીબી તપાસ કરશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ 4 સસ્પેન્ડેડ અધિકારી પૈકી 3 સામે ACB તપાસ કરશે, જયારે ઈજનેર એન. એમ. નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે.
નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ
મહત્વની વાત તો એ છે કે, તમામ અધિકારીઓ કલાસ વન અધિકારી હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે, ઉપલી કચેરીથી તપાસ માટેની મંજૂરી આવશે એટલે ઈજનેર એન. એમ. નાયકાવાલા સામે પણ તપાસ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે, અધિકારીઓના પગારની સામે કેટલી અપ્રમાણસર મિલકત છે તેને લઈ તપાસ કરવામાં આવશે અને રાજય સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
