ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની ACB કરશે તપાસ...
નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ
Updated : July 25, 2025 11:30 am IST
Sushil pardeshi
ગત 9 જુલાઈ ના રોજ પાદરા ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી જેમાં સંખ્યાબંધ વાહનો મહીસાગર નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં આજ દિન સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક યુવકનો હજુ પત્તો મળી રહ્યો નથી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એન એમ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહ ને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા હતા. આ સસ્પેન્ડેડ અધિકારીઓ કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહની એસીબી તપાસ કરશે. સસ્પેન્ડેડ અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે એસીબી તપાસ કરશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ 4 સસ્પેન્ડેડ અધિકારી પૈકી 3 સામે ACB તપાસ કરશે, જયારે ઈજનેર એન. એમ. નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે.
નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ
મહત્વની વાત તો એ છે કે, તમામ અધિકારીઓ કલાસ વન અધિકારી હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે, ઉપલી કચેરીથી તપાસ માટેની મંજૂરી આવશે એટલે ઈજનેર એન. એમ. નાયકાવાલા સામે પણ તપાસ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે, અધિકારીઓના પગારની સામે કેટલી અપ્રમાણસર મિલકત છે તેને લઈ તપાસ કરવામાં આવશે અને રાજય સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
