Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની ACB કરશે તપાસ...

    નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ

    Updated : July 25, 2025 11:30 am IST

    Sushil pardeshi
    ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની  ACB કરશે તપાસ...


    ગત 9 જુલાઈ ના રોજ પાદરા ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી જેમાં સંખ્યાબંધ વાહનો મહીસાગર નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં આજ દિન સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક યુવકનો હજુ પત્તો મળી રહ્યો નથી.

    આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એન એમ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહ ને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા હતા. આ સસ્પેન્ડેડ અધિકારીઓ કાર્યપાલક ઇજનેર યુ. સી પટેલ કાર્યપાલક ઇજનેર આર. ટી પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી શાહની એસીબી તપાસ કરશે. સસ્પેન્ડેડ અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે એસીબી તપાસ કરશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ 4 સસ્પેન્ડેડ અધિકારી પૈકી 3 સામે ACB તપાસ કરશે, જયારે ઈજનેર એન. એમ. નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે.

    નાયકાવાલા ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ


    મહત્વની વાત તો એ છે કે, તમામ અધિકારીઓ કલાસ વન અધિકારી હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે, ઉપલી કચેરીથી તપાસ માટેની મંજૂરી આવશે એટલે ઈજનેર એન. એમ. નાયકાવાલા સામે પણ તપાસ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે, અધિકારીઓના પગારની સામે કેટલી અપ્રમાણસર મિલકત છે તેને લઈ તપાસ કરવામાં આવશે અને રાજય સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ગંભીરા બ્રીજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની ACB કરશે તપાસ... | Yug Abhiyaan Times