Updated : July 12, 2025 04:43 pm IST
Sushil Pardeshiભરૂચના વાલીયાના કોંઢ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ રુચિ અવસ્થિ નામની મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વાલીયા તાલુકાના કોંઢ ગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે માહિતી મળતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અજાણી મહિલાની મળેલી લાશમાં પોલીસે તપાસ અર્થે 5 ટીમો બનાવી તેની ઓળખ માટે ફોટા સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યા હતા. જે બાદ તપાસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો. પોલીસે સોશિયલ મીડિયા પર આ મૃતક મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃતક મહિલા 40 વર્ષીય રુચિ અવસ્થિ અને અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતી મૂળ લખનૌની હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.
પોલીસની તપાસમા આ મહિલાની હત્યા તેના જ પતિ 47 વર્ષીય રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યુ હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018 માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયા બાદ વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થિ સાથે લગ્ન કર્યા હતા. જોકે રાજેન્દ્ર અને રુચિ વચ્ચે વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થિનું ગળું કાપી તેનું ઢીમ ઢાળી દીધું હતું. રાજેન્દ્ર એ મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી અંકલેશ્વરથી 10 કિમી દૂર વાલિયાના કોંઢ ગામ નજીક પહોંચ્યો હતો અને ત્યાં નાાળામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરી ના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ