સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...
Updated : August 14, 2025 09:47 am IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ.
ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારના જનરલ સ્ટોરમાં થયેલી ચોંકાવનારી ઘટના હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સીસીટીવી ફૂટેજમાં કહેવાતા વૃદ્ધ સસરા 64 વર્ષીય યાકુબ યુસુફ પટેલ પોતાની જ હિન્દુ વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપ વચ્ચે, આ ફૂટેજ જાહેર થતાં પોલીસને આખરે ફરિયાદ લેવી પડી છે.
બે સંતાનોની માતા એવી વિધવા સ્ટેશન રોડ વિસ્તારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. તેની સાસુ દક્ષાબેન,પાડોશમાં રહેતા મુસ્લિમ યાકુબ પટેલ સાથે લગ્નસરખા સંબંધમાં રહે છે. વિધવાના આક્ષેપ મુજબ, યાકુબ પટેલની દાનત બગડતા વારંવાર અડપલા કરતો, અભદ્ર માંગણી કરતો, સંબંધ રાખવા દબાણ કરતો અને પીછો કરીને હેરાનગતિ કરતો હતો. જે અંગે વારંવાર અરજી છતાં પોલીસે કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ છે.
તાજેતરમાં, વિધવા ઘર માટે સામાન લેવા જનરલ સ્ટોર પર ગઈ ત્યારે યાકુબ ત્યાં આવી ગયો અને જાહેરમાં ઝઘડો કરી મારપીટ કરી હતી.આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
બંને પક્ષે ફરિયાદ પુરાવા સાથે એક બીજા પર આક્ષેપો કર્યા
દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવતા વિધવાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં યાકુબ પટેલ અને દક્ષાબેન સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ગંભીર આક્ષેપો સાથે સીસીટીવીના પુરાવા જોડ્યા છે. બીજી તરફ, યાકુબના બચાવ પક્ષે પણ પ્રતિક્રિયા આપતા દક્ષાબેનએ પોતાની વિધવા પુત્રવધુ અને એના ભાઈ સંકેત પટેલ સામે મારપીટ અને ધમકીના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ કરી છે.
વિધવાનો દાવો છે કે યાકુબ પટેલ પોલીસનો બાતમીદાર છે અને પંચ તરીકે પણ ઓળખ ધરાવે છે, જેના કારણે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી ટાળવામાં આવી રહી છે. સામે દાખલ થયેલી ફરિયાદને તેણીએ ખોટી અને બદનામી માટેની ચાલ ગણાવી છે. તેણીએ ચેતવણી આપી છે કે, "જો ન્યાય નહીં મળે તો પોલીસ સ્ટેશન આગળ પોટૅ કેરોસીન નાખીને આત્મવિલોપન કરશે.
સમગ્ર ભરૂચ માં ચર્ચાનો વિષય બનેલો મામલો
એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આરોપી અને પોલીસ વચ્ચેના સંબંધના આક્ષેપોને કારણે મામલો સામાજિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો : સપાટી 135.35 મીટર પર પહોંચી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
