Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...

    ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત નિવારક સુરક્ષા કવચ..

    Updated : August 12, 2025 06:21 pm IST

    Sushil pardeshi
    ‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...

    વિરલ ગોહિલ, ભરૂચ

    ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત નિવારક સુરક્ષા કવચ..

    રૂ. 1.55 કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ... 

    ‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...


    વર્ષોથી ‘સ્યુસાઇડ પોઇન્ટ’ તરીકે કુપ્રસિદ્ધ રહેલા ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર હવે આપઘાત નિવારક સુરક્ષા કવચ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રૂ. 1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવાનું કામ પ્રારંભ થયું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. જો ડિઝાઇનમાં જરૂરી ફેરફાર જણાશે તો સુધારા બાદ આગામી 10 દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ નેટ લગાવાશે.



    અગાઉ સામાજિક આગેવાનો તથા નાગરિકોએ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. હવે આ દિશામાં કાર્યવાહી શરૂ થતાં લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક વખત નર્મદા નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો બન્યા છે. સુરક્ષા નેટ લગાવવાની આ પહેલથી આવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું... | Yug Abhiyaan Times