‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...
ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત નિવારક સુરક્ષા કવચ..
Updated : August 12, 2025 06:21 pm IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર આપઘાત નિવારક સુરક્ષા કવચ..
રૂ. 1.55 કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ...
‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...
વર્ષોથી ‘સ્યુસાઇડ પોઇન્ટ’ તરીકે કુપ્રસિદ્ધ રહેલા ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર હવે આપઘાત નિવારક સુરક્ષા કવચ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રૂ. 1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવાનું કામ પ્રારંભ થયું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. જો ડિઝાઇનમાં જરૂરી ફેરફાર જણાશે તો સુધારા બાદ આગામી 10 દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ નેટ લગાવાશે.
અગાઉ સામાજિક આગેવાનો તથા નાગરિકોએ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. હવે આ દિશામાં કાર્યવાહી શરૂ થતાં લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક વખત નર્મદા નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો બન્યા છે. સુરક્ષા નેટ લગાવવાની આ પહેલથી આવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો : સપાટી 135.35 મીટર પર પહોંચી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
