50થી વધુ આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલથી હેરાન.
ભરૂચ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ...
Updated : August 07, 2025 05:15 pm IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ભરૂચ-ઝઘડિયા-નેત્રંગની આંગણવાડી બહેનોને છેલ્લા કેટલાંક દિવસોથી અજાણ્યા નંબર પરથી ન્યૂડ કોલ આવી રહ્યા છે. આવા કોલથી આ બહેનો ઘરમાં, કાર્યસ્થળે કે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ રહી છે. ભરૂચ, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની કુલ 50થી વધુ બહેનોને રોજેરોજ આવી રીતે હેરાન કરવામાં આવી રહી છે. આશ્ચર્યજનક રીતે આ કોલ સરકારશ્રીએ આપવામાં આવેલા આઇસીડીએસ નંબર પર પણ આવી રહ્યા છે, જેના કારણે બહેનો સરકારી કામકાજમાં પણ મુશ્કેલી અનુભવી રહી છે.
આ મામલે આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓના આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાત ઉપપ્રમુખ રાગિણીબેન પરમારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે જો તંત્ર આરોપીને પકડવામાં નિષ્ફળ રહેશે તો અમે બહેનો જ સબક શીખવડાવશું. મહિલાઓની માનસિક શાંતિ છીનવતી આ હરકત સામે ભરૂચ સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે તંત્ર સામે મોટો સવાલ ઊભો થયો છે, મહિલાઓના ડિજીટલ સુરક્ષા માટે કઈ રીતે પગલાં લેવામાં આવશે?
આ ઘટના માત્ર હેરાનગતિ સુધી સીમિત નથી રહી, પણ હવે તે મહિલા માન,અસ્તિત્વ અને સરકારી વ્યવસ્થાની નિષ્ફળતાને પ્રકાશિત કરતી ગંભીર સાયબર ગુનાની ઘટનામાં ફેરવાઈ છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો : સપાટી 135.35 મીટર પર પહોંચી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
